Thursday 15 September 2011

વિશ્વ પ્રજ્ઞાચક્ષુ દિવસ

વિશ્વ  પ્રજ્ઞાચક્ષુ દિવસે મને સ્ટુડીયોમાં એક કાર્યક્રમમાં જોડાવાની તક મળી.  એમ કહું કે પ્રજ્ઞાચક્ષુઓના જીવનને જાણવાની  તક મળી.  તેમની  વાતો અને વિચારો સાંભળી  ચોક્કસ પ્રભાવિત થઈ જવાય..  આજે થયું કે કુદરતે જે  કઈ પણ આપ્યું છે તેની કદાચ આપણને કોઈ ગણના  નથી.. કહેવાય  છે ને અન્યોના દુઃખ જોઈને આપણા  દુઃખ થોડા  હળવા લાગે.. પણ પ્રજ્ઞાચક્ષુ  મિત્રો સાથે  વાત કરતા જણાય  કે તેમને કુદરત સાથે કોઈ વાંધો નથી... એ  તો એમણે  સ્વીકારી લીધું  છે.. પણ કુટુંબ અને સમાજમાં  થતી તેમની  અવગણનાથી તે દુઃખી  છે અને કદાચ નિરાશ  પણ... ત્યારે મનમાં થયું કે ગરીબ અને અનાથ લોકોએ  તો કુદરતનો આભાર માનવો જોઈએ  કે સ્વયંના સર્જનમાં તો કોઈ ત્રુટી નથી રહી.. માત્ર જરૂરિયાત માટે જ તો જીવનમાં પ્રયત્નો કરવાના કે લડવાનું છે.. પરંતુ વિકલાંગોને તો જીવન જીવવામાં પણ પહેલા સંઘર્ષ કરવો  પડે છે.. પહેલા તો સ્વયંથી અને પછી  કુટુંબ કે સમાજ અને બાદ માં સમસ્યાઓથી..

મને  એક વાત  ખુબ ગમી કે તેઓ આગળ આવવા કેટલા પ્રયત્નો કરી રહ્યા છે.. પોતાનામાં રહેલી ત્રુટીના રોદણાં રોવા કરતા તેઓમાં આત્મવિશ્વાસ અને જુસ્સો જોવા મળ્યો.. કઈ પ્રકારની યોજનાથી કેવો લાભ વધુમાં વધુ તેઓ ઉઠાવી શકે અને દુનિયામાં પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરી શકે તેની તીવ્ર ઈચ્છા જણાઈ .

મારી સાથે એક પ્રજ્ઞાચક્ષુ  બહેન પણ  હતા... તેમની સાથે કલાક ગાળી અને એક સંવેદનાનો અનુભવ કર્યો.. એક વખત જાતે પ્રયત્ન પણ કર્યો કે પાંચ મિનીટ આંખ બંધ રાખીને દુનિયાને નિહાળવી કેટલી અઘરી છે.. પણ થોડા સમય પછી એમ પણ થયું કે આપણે ક્યારેક ના જોવાનું પણ જોઈ લઈએ છીએ... આપણી દ્રષ્ટિ આપણો દ્રષ્ટિકોણ નથી બની રહેતા .. પણ તેઓમાં દ્રષ્ટિ ના હોવા છતાં દિવ્ય અને દીર્ઘ દ્રષ્ટિ સાથે દ્રષ્ટિકોણ  સ્પષ્ટ છે..

खुदा कहेता है इंसानों को ...

धरती बाटी - मुल्क बाटा,
मत बाटो इंसानों  को
ये जात -पात कहा  से आया,
खुदा कहेता है इंसानों को ...

मैंने दिल और धड़कन बनाया..
और तुमने मंदिर - मस्जिद बनाया..
मुझे दिलो से निकला  और वहा पे बिठाया..
खुदा कहेता है इंसानों को ...

दिलो में प्यार बनाया...
खुशिओ से भरा जीवन बनाया...
लेकिन बुरी  आदते या चीज़ नहीं सिखाई..
खुदा कहेता है इंसानों को ...

अफ़सोस नहीं हैरानी है
इंसानों को इतना क्यों समजदार बनाया..
मुझे सुक्रिया तो दूर कोसते है जीवनभर
खुदा कहेता है इंसानों को ...